Header Ads

ad728
  • Breaking News

    જમીઅત ઉલમાએ હિન્દ - ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો


    જમીઅત ઉલમાએ હિન્દ - ભાવનગર દ્વારા તારીખ 15/07/2023 - શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે મદીના બાગ, નવાપરા ખાતે ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો.

    આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આશરે 152 જેટલાં ઈનામ આપવમાં આવ્યા હતા તથા ૧ થી ૫ નંબર મેળવનાર બાળકને ટ્રોફી ની ભેટ આપવામાં આવી હતી.

    આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે મુફ્તી હનીફ સાહેબ (પ્રમુખ : જમીઅત ઉલમાએ ગુજરાત), મોલાના ફિરોઝ સાહેબ (ઉપ પ્રમુખ : જમીઅત ઉલમાએ ગુજરાત) મોલાના ઈમરાન સાહેબ (સેક્રેટરી : ગુજરાત જમીઅત) કારી હુસૈન સાહેબ (ઉસ્તાદ : દારુલ ઉલુમ અકવાડા ભાવનગર) ઈમ્તિયાઝખાન પઠાણ (પ્રમુખ : મુસ્લિમ એકતા મંચ) તેમજ કોમ ના આગેવાનો પણ હાજર રહિયા હતા.

    તેમજ ઘોઘા કસ્બા જમાત, મોમીન જમાત ખાના, તેમજ મદીના બાગ, સિદ્દીકીયા સ્કૂલ, અનમોલ સ્કૂલ, રાઈટ્વે સ્કૂલ નુ ટ્રોફી આપી ને સન્માન કર્યું હતું

    તેમજ જમીઅત માં કામ કરતા ખાદીમો નુ પણ સન્માન કર્યું હતું.

    કાર્યક્રમ ના અંત માં જમીઅત ઉલામા એ ભાવનગર ના પ્રમુખ મોલાના જમીલ સાહેબે જમીઅત નો ટૂંકો પરિચય કરાવ્યો હતો.

    આ કાર્યક્રમને સફળ બનાવવા જમીઅત ઉલમાએ હિન્દ - ભાવનગર ના પ્રમુખ મૌલાના જમીલ અહેમદ સાહબ કુરેશી તથા ઉપપ્રમુખ મૌલાના મુજીબ સાહબ અને સમગ્ર જમીઅત ઉલમાએ હિન્દ - ભાવનગરની ટીમે જહેમત ઉઠાવી હતી.

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728