જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) ધરાશાયી દીવાર થી અસર ગ્રસ્તો ની વહારે.
ता 5 જુન 2023 લાલચાલ, દરીયાપુર ખાતે આવેલ પંપીગ સ્ટેશન ની દીવાર અચાનક ધરાશાયી થતા ત્યાં પાર્ક કરેલ આશરે 12 ટુવ્હીલર, 3 ઓટો રીક્ષા અને 1 હાથ લારી દબાઈ ગઈ હતી અને ઓછા વત્તા પ્રમાણ માં નુકસાન થયુ હતું. આ સંદર્ભે અસરગ્રસ્તો નાં પ્રતિનિધી મંડળે ગત તા.12/6/23 સોમવાર નાં રોજ જમીઅત ઉલમા ની ઓફીસ ની મુલાકાત લઈ ધારાસભ્ય ઈમરાન ભાઈ ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ, ઈમ્તિયાઝ ભાઈ પ્રમુખ (કોર્પોરેટર) તેમજ જમીઅત ઉલમા નાં ઝિમ્મેદારો તથા સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતી માં પોતાની વ્યથા રજુ કરી હતી.જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) દ્વારા તેમને સાંત્વના પાઠવી શક્ય આર્થિક સહાય ની બાંહેધરી આપવામાં આવી હતી. અને તેજ વિસ્તાર નાં રહેવાસી અને જમીઅત નાં વકીલ એડવોકેટ ખાલિદ શેખ દ્વારા નુકસાની નું સર્વે કર્યા બાદ આજ તાઃ15 જુન 2023 ગુરૂવાર નાં રોજ સવારે 11:00 વાગે એડવોકેટ ખાલિદ શેખ નાં હસ્તે અસર ગ્રસ્તો પૈકી 9 વાહન માલિકો ને સહાય પેટે ₹ 30 હજાર, ₹15 હજાર ₹10-10 હજાર અને અન્ય 5 વ્યક્તિઓને ₹5-5 હજાર નાં ચેક આપવામાં આવ્યા હતા.
No comments