જમીઅત ઉલમાએ અહમદઆબાદ, જુહાપુરા વોર્ડ (મૌલાના અરશદ મદની) દ્વારા વધુ એક રાહત દરે દવાખાનું ખુલ્લુ મુકાયુ
તાઃ14/6/2023 બુધવાર નાં દિવસે મુફતી જમીલ સા. ની દુઆ સાથે જુહાપુરા અલ-કમર સોસાયટી, પાસે જમીઅત ઉલમા દ્વારા “જમીઅત મેડીકેર” નામે રાહતદરે વધુ એક દવાખાના નો પ્રારંભ કરાયો હતો. દુઆ અને પ્રારંભિક પ્રોગ્રામ માં મૌલાના ઝિક્રુદ્દીન, મૌલાના મુસ્તકીમ, હાફિઝ શોએબ, હાફિઝ સઅદ, સુફયાન ભાઈ અત્તરવાલા, મુફતી મુનીર સા., મુફતી અ.રઉફ સા., મૌલાના સલમાન શેખ, હાજી ભાઈ કોર્પોરેટર તેમજ મોટી સંખ્યા માં ઉલમા, જમીઅત નાં કાર્યકર્તા તેમજ સ્થાનિક રહીશો અને આગેવાનો એ હાજરી આપી હતી. જમીઅત ઉલમાએ અહમદઆબાદ/જમીયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષો થી શહેર નાં વિવિધ વિસ્તારો માં મેડીકલ ક્લિનિક કાર્યરત છે જ્યાં રાહત દરે તબીબી સેવાઓ પુરી પાડવામાં આવે છે.
No comments