જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા દસમો રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો
તારીખ : ૨૨-૦૧-૨૦૨૩ ને રવિવારે ભાવનગર સર્ટિ હોસ્પિટલ ના સહયોગ થી જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા અલ્કા સીનેમા પાસે પટેલ બોર્ડિંગ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ રક્તદાન કર્યું હતું.
જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા ધણા સેવા કિયા કામો પણ કરવામા આવેશે જેમકે મોતીતળાવ અને ધોબી સોસાયટી જેવા પછાત એર્યામાં ગરીબ લોકો માટે રાહત દરે ક્લિનિક ચાલે છે. તેમજ ભાવનગર જમીઅત તરફથી દિવાનપરા રોડ જૂની SBI ની નિચે લેબોરેટરી કલેક્શન સેન્ટર ચાલે છે જેમા રાહત દરે લોહી પેશાબ ના રીપોર્ટ કરી આપવામાં આવે છે તેમજ દિવાનપરા રોડ લક્ષ્મી ફર્નિચર ની સામે જમીઅત મેડીકલ સ્ટોર પણ ચાલે છે જેમા રાહત દરે દવા આપવામાં આવે છે
જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર તરફથી આ દસમો રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો હતો જેમાં સવારથીજ જમીઅત ના કાર્યકર્તાઓ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માં લાગી ગયા હતા ને આ કેમ્પ માં ટોટલ ૧૧૧ બોટલ પ્રાપ્ત થય હતી ને આ પ્રાપ્ત કરેલ બોટલ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ને સમર્પિત કરવામાં આવી હતી.
તેમજ હિન્દુ મુસ્લિમ એકતા ના ભાગ રૂપે કેટલાક હિન્દુ ભાઈયો એ પણ આ કેમ્પ માં ખાસ હાજરી આપી ને રક્તદાન પણ કર્યું હતું ને લોકો ને આપસી ભાઈ ચારા નો મેસેજ આપ્યો હતો
ભાવનગર સર્ટિ હોસ્પિટલ ના સહયોગ થી જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા અલ્કા સીનેમા પાસે પટેલ બોર્ડિંગ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ રક્તદાન કર્યું હતું. @JamiatGujarat @AbdulQayyum0011
— Jamiat Ulama E Bhavnagar (@JamiatBhavnagr) January 23, 2023
Vathu Vigat : https://t.co/WGlj5nvU4U pic.twitter.com/h7Ajy2aJXX
રક્તદાન ને સફળ બનાવવા માટે ઈમામવાડા મસ્જિદ ના પેશ ઈમામ મોલાના દાઉદ સાહેબ તેમજ સાદીક ભાઈ રાઠોડ તેમજ ઈમામવાડા ના રહીશો એ બહુજ જહમત ઉઠાવી હતી.
અંત માં જમીઅત ઉલમા એ ભાવનગરે સર્ટિ હોસ્પિટલ ના સ્ટાફ, રકતદાતાઓ, પટેલ બોર્ડિંગ ના ટ્રસ્ટીઓ, અને તમામ કાર્યકર્તાઓ નો આભર વેકત કર્યો હતો.
આ કેમ્પ માં મુખ્ય મેહમાન તરીકે ભાવનગર જમીઅત ના પ્રમુખ મોલાના જમીલ સાહેબ ઉપ પ્રમુખ મોલાના મુજીબુલ હસન સાહબ તેમજ કોમ ના આગેવાનો મુસ્તુફા ભાઈ (મુસ્તુ ગેટિંગ) વગેરે કેમ્પ માં હાજરી આપી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવા ભાવનગર જમીઅત ના જ. સેક્રેટરી હાફીઝ તોફિક સાહેબ જો. સેક્રેટરી મોલાના અય્યુબ સાહેબ તેમજ જમીઅત ના ખાદીમ અબ્દુલ કય્યુમભાઈ મન્સુરી, વાહિદભાઈ મિસ્ત્રી, ફારુક ભાઈ, મોહસીન ઉસ્તાદ, અબ્દુલ કાદીરભાઈ લાકડીયા, તેમજ જમીઅત ના ખાદીમો એ મોટી ઝહમત ઉઠાવી હતી.
No comments