Header Ads

ad728
  • Breaking News

    જમીઅત ઉલમા એ હિન્દ - ભાવનગર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


     જમીઅત ઉલમા એ હિન્દ - ભાવનગર દ્વારા આજરોજ તારીખ ૨૨/૦૧/૨૦૨૩ - રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ઘોઘારી જમાતખાના, રૂવાપરી રોડ, ભાવનગર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૧૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૧ થી ૫ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જમીઅત ઉલમા એ હિન્દ - ભાવનગરના પ્રમુખ મૌલાના જમીલ અહેમદ સાહબ, ઉપપ્રમુખ મૌલાના મુજીબ સાહબ, મૌલાના અયુબ સાહબ (જોઈન્ટ સેક્રેટરી તથા ઓફિસ ઇન્ચાર્જ), એજ્યુકેશન કમિટીના સભ્યો હાજી અબ્દુલસતારભાઈ શેખ (રેડિયેટરવાળા), તસ્લીમભાઈ કાગદી, અબ્બાસભાઈ મહેતર, સમીરખાન પઠાણ, રઈશભાઈ કાઝી તથા સમગ્ર જમીઅત ઉલમા એ હિન્દ - ભાવનગરના સાથીઓએ જહેમત ઉઠાવી હતી. આ તબક્કે જમીઅત ઉલમા એ હિન્દ - ભાવનગર ઘોઘારી જમાતના પ્રમુખ અબ્દુલસતારભાઈ શેખ (રેડિયેટરવાળા) તેમજ પીરનભાઈ શેખ, અબ્દુલકાદિરભાઈ શેખ, અલ્તાફભાઈ તથા સમગ્ર ઘોઘા મુસ્લિમ ખલાસી જમાતનો તથા સમગ્ર વાલીઓનો પણ આભાર વ્યક્ત કરે છે અને દરેક બાળક માટે દુઆ કરે છે કે અલ્લાહ તઆલા દરેક બાળકને તેમના જીવનમાં અને આખીરતમાં કામયાબી આપે. આમીન





    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728